You are here: Home >> Gujarati News & Features >> Other

જિલ્લાના સમુદ્ર તટે ક્ષારનું વધેલું પ્રમાણ

DVBHA1947 | 1/2/2010 | Author : Bhaskar News, Bhavnagar


કેરાલાના થુંબા ખાતે વડાપ્રધાનની હાજરીમાં ભાવનગરના શિક્ષક દીપક પંડયા સંશોધનપત્ર રજૂ કરશે, ભાવનગરના દરિયાકાંઠે દર વર્ષે એક કિલોમીટર સમુદ્રી ક્ષારો આગળ વધી રહ્યાં હોવાનું ચોંકાનારૂ તારણ

કેરાલાના થુંબા ખાતે આગામી તા.૩થી૭ જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન મનમોહનસિંઘની અઘ્યક્ષતામાં યોજાનાર દેશની સૌથી મોટી મહત્વની વિજ્ઞાન કોન્ફરન્સમાં ભાવનગરની ધનેશ મહેતા હાઈસ્કુલના વિજ્ઞાન શિક્ષક ડો.દિપક પંડયાને હાજર રહી પોતાનું સંશોધન પેપર રજૂ કરવા આમંત્રણ મળેલ છે. દિપક પંડયા એ ઈસરોની મદદથી ભુગર્ભીય જળ અંગે કરેલ સંશોધનનો અહેવાલ આ વિજ્ઞાન કોન્ફરન્સમાં રજુ કરશે.

મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ ઓફ સાયન્ટિફીક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રીસર્ચ અને ઈસરો દ્વારા તિરૂવનંતપુરમ્ના થુંબા ખાતે આ વૈજ્ઞાનિક કોન્ફરન્સ મળનાર છે.‘સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેલેન્જીસ ઈન ટ્વેન્ટી ફસ્ર્ટ સેન્રયુરી-નેશનલ પરસ્પેકટીવ’ મુખ્ય વિષય પર યોજાનારી આ કોન્ફરન્સમાં દેશભરના સો જેટલા સંશોધનકારો હાજર રહેનાર છે.

ઈસરોના ચેરમેન ડો.જી. માધવન નાયરે, એક શિક્ષક હોવા છતાં દિપક પંડયાને છેલ્લાં દસ વર્ષથી કોઈપણ પ્રકારના સરકારી અનુદાન લીધા વગર પોતાના ફાજલ સમયમાં સમાજ ઉપયોગી સંશોધન કાર્ય કરે છે તે બદલ સ્પેશ્યલ કેટેગરીમાં તેમને સંશોધનપત્ર રજુ કરવાનું નિમંત્રણ આપેલ છે.

દિપકભાઈએ તેમના સંશોધન અંગેની વિગત આપતા જણાવ્યુ હતું કે અમદાવાદ ઈસરો અને સ્થાનિક સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ સેન્ટરના સહયોગ સાથે તેમણે દરિયાકાંઠાના ભાવનગર, મહુવા, ઘોઘાના ૨૦ જેટલા ગામોના પાણીના નમૂનાઓનો સર્વેક્ષણ અભ્યાસ કરી તેની પી.એચ. વિધુત વાહકતા, બી.ઓ.ડી., સી.ઓ.ડી. અને વિવિધ ખનિજ ક્ષારોનું વિશ્લેષણ કરીને ઈસરોના રીમોટ સેન્સીંગ સે...

More on Entertainment:

જિલ્લાના ૧૫૦ ગામમાં પાણી પીવાલાયક જ નથી
DVAHM58116 | 4/20/2010 12:00:00 AM | Author : Bhaskar News, Wadhwan

ઝાલાવાડમાં દર વર્ષે પીવાના પાણીની કાયમી તંગી રહે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગમે તેટલો વરસાદ પડે તો પણ ઉનાળાના સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકાર પડે છે. જિલ્લાના ૬૫૨ ગામડાઓ પૈકી ૧૫૦ ગામોમાં વિવિધ સોર્સ દ્વારા અપાતા પાણીમાં ફલોરાઇડની માત્રા ઊચી હ

કામદારોના સમર્થનમાં લખતર બંધ
DVAHM58118 | 4/20/2010 12:00:00 AM | Author : Bhaskar News, Lakhtar

લખતરમાં આવેલી એક કંપનીમાં કામદારોનું શોષણ કરી કામદારોને છૂટા કરી દેવાતા કામદારોમાં રોષ ફેલાયો હતો. આથી કામદારો ધરણાં પર ઉતરી ગયા હતા ત્યારે લખતરના વેપારીઓનો સહકારથી સોમવારે લખતર બંધનું એલાન અપાતા લખતર બંધ રહ્યું હતું. જ્યારે કામદારોએ રેલી કાઢી મામલત

બાયોમેડિકલ વેસ્ટના નિકાલના નિયમની ઐસીતૈસી
DVAHM58132 | 4/20/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad

શહેરના બાપુનગર વિસ્તારના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાસેની કચરાપેટીમાંથી ૧૪ માનવભ્રૂણ મળ્યા હોવાની ઘટના ‘ટોક ઓફ ધ ટાઉન’ બની છે, પરંતુ ચોંકાવનારી વાત છે કે કેટલાંક ડોકટર બાયોમેડિકલ વેસ્ટ (જૈવિક કચરા)ના નિકાલ માટેની ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપ

ગ્લોબલ વોર્મિંગ સમયે આયુર્વેદ રામબાણ
DVSUR20925 | 4/20/2010 12:00:00 AM | Author : Bhakar News, Navsari

નવસારી આયુર્વેદ એસોસિયેશનની કાર્યશિબિરમાં આયુર્વેદાચાર્યોની ચર્ચા નવસારીની મતીયા સમાજની વાડી ખાતે આયુર્વેદની કાર્યશાળાનો આરંભ વનમંત્રી મંગુભાઇ પટેલે કરાવી, આયુર્વેદ ઉપચાર અને ઔષધિઓથી લોકોને જાગૃત કરવા વાંચે ગુજરાત અભિયાન અસરકારક માઘ્યમ બનશે તેમ જણા