You are here: Home >> Gujarati News & Features >> Top News

અમદાવાદના જુદા જુદા વિસ્તારો અને પોળોનાં નામોનો રસપ્રદ ઇતિહાસ

DVAHM55768 | 2/9/2010 | Author : Ketan Dave, Ahmedabad


બાદશાહે શહેરની સ્થાપના કરવા માટે જે પોળમાં રહેવા માટેનું મુહૂર્ત કર્યુ હતું તે મુહૂર્તની પોળ તરીકે ઓળખાઇ

અમદાવાદીઓ જ્યારે પોતાના વહાલા અમદાવાદ શહેરની ૬૦૦મી બર્થડે ઊજવવાના મુડમાં છે. ત્યારે અમદાવાદ નગરનાં જુદાં જુદાં નામ જેવાં કે આશાપલ્લી, આશાવલ, કણાર્વતી અને ત્યાર બાદ અમદાવાદ એમ સમય અને સત્તાધીશોની સાથે સાથે અમદાવાદનાં નામ પણ બદલાતાં ગયાં જેના ઇતિહાસથી તો ઘણાખરા શહેરીજનો માહિતગાર છે. જોકે નગર સિવાય શહેરના જુદા જુદા વિસ્તારો તથા તેની ઓળખ સમાન પોળોનાં નામો પાછળ પણ એક ચોક્કસ રસપ્રદ ઇતિહાસ છે.

અમદાવાદની સાચી ઓળખ તેની પોળો છે, માટે પોળોના પરિચય વગર અમદાવાદની ઓળખ અધૂરી ગણાય. પોળ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ‘પ્રતોલી’ પરથી આવ્યો છે. સોલંકી યુગમાં પોળોને પાડા તરીકે ઓળખવામાં આવતી હતી માટે પાટણની પોળોનાં નામ સાથે પાડા શબ્દ જોડાયેલો છે, એટલે કે ‘જમનો પાડો’, ‘ઢીલી ખીચડીનો પાડો’.

પોળોની વાત કરીએ તો સુલ્તાન અહમદશાહે શહેરની સ્થાપના કરી તે સમયે શરૂઆતમાં રહેવા માટે જે પોળમાં મુહૂર્ત કર્યું તે મુહૂર્ત પોળ તરીકે ઓળખાય છે. જે માણેકચોકમાં આવેલી છે. શહેરની સૌથી મોટી પોળ માંડવીની પોળ છે. જે શહેરની મઘ્યમાં આવેલ ચૌટા કે ચોરામાં માતાજીની નવરાત્રિ વખતે માંડવી મુકાતી હોય માટે તેનું નામ માંડવીની પોળ પડાયું.

ઘણી વખત પોળોના નામકરણ કોઇ વ્યક્તિ જાતિ-ઉપજાતિ કે પશુ-પક્ષીઓ પરથી પણ રાખાયાં છે. જેમકે અમુક વિસ્તારમાં પખાલી, સાળવીસ, પીંજારા, પટવા મહેતા નાગર, માળી કે ધોબી વગેરે જાતિના લોકો રહેતા હોવાથી પોળનાં નામ જે તે જાતિ સાથે જોડી દેવાયાં.

પોળોના નામકરણમાં વિશેષ વ્યકિતઓનાં પણ મહત્વનો ફાળો છે જેમકે લાખા પટેલની પોળ, હાજા પટેલની પોળ, ...

More on Entertainment:

આકાશમાં ઊડો, સરોવરમાં તરો
DVSUR25490 | 9/7/2010 12:00:00 AM | Author : Bhaskar News, Surat

૬ ટૂરિસ્ટ પોઇન્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે, ઉપરાંત ખાનગી મૂડીરોકાણથી હિલસ્ટેશનને વિકસાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ ખાતે રોડ-શો યોજીને ઇન્વેસ્ટર્સને આકર્ષવામાં આવ્યા હતા. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટ

વિડિયો પાઈરસી રોકવા માટે રાજ્ય માટે એન્ટી-પાઈરસી સ્ક્વોડ
DVMUM9786 | 9/5/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai

ગૃહપ્રધાન આર. આર. પાટીલે પાઈરસીને નાથવા માટે રાજ્ય સરકાર તરફથી જોઈતું દરેક પીઠબળ આપવની ખાતરી આપી હતી વિડિયો પાઈરસીને રોકવા માટે હવે રાજ્યભરમાં એન્ટી પાઈરસી સ્ક્વોડ સ્થાપવામાં આવશે. સમાજસેવા શાખા અને એલાયન્સ અગેઈન્સ્ટ કોપીરાઈટ થેફટ (એએસીટી) સંયુક્ત

ગોધરાકાંડના કેસનું ભારણ હોવાથી સીટ તપાસ નહીં કરે
DVAHM68312 | 9/4/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad

ગોધરાકાંડના કેસોનું ભારણ હોવાથી તેઓ હાલના તબક્કે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસનું ભારણ લઇ શકે તેમ નહીં હોવાની રજૂઆત સીટ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. ખંડપીઠે કરેલા હુકમનું પુન: મુલ્યાંકન કરવાની અરજીમાં સુપ્રીમ કોર્ટમાં પણ આવી અરજી પડતર હોવા

સ્વર્ણિમ નવરાત્રી માટે પાંચ કરોડનો ખર્ચ થશે
DVAHM68314 | 9/4/2010 12:00:00 AM | Author : Gautam Purohit, Gandhinagar

આ વર્ષે નવરાત્રી મહોત્સવ પાછળ રાજ્ય સરકાર પાંચ કરોડનો ખર્ચ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા નહીં નડે તો ‘સ્વર્ણિમ નવરાત્રી મહોત્સવ’ ગાંધીનગર ખાતેના હેલીપેડ ગ્રાઉન્ડ પર યોજવાનું નક્કી કરાયું છે. આ મહોત્સવમાં પ્રથમ વખત બ્રાન્ડ એમ્બેસેડર અમિ