‘લાવા ટ્યૂબ’ શોધાતાં ચંદ્ર પર વસવાટ શક્ય
ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમે કરેલી શોધ
જાપાની વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન કરતાં ભારતને વધુ સફળતા મળી
શાહરૂખ ખાનની એક ચાહકે તેના માટે ચંદ્ર પર એક પ્લોટ બુક કરાવ્યો છે, તો ચાંદનો એક ટુકડો માયાવતીના નામે પણ થઇ ગયો હોવાના સમાચારો વારંવાર જોવા મળે છે. પરંતુ રાત-દિવસ મહેનત કરીને વૈજ્ઞાનિક સંશોધનો કરતાં વિજ્ઞાનીઓએ હવે ખરેખરમાં ચંદ્ર પર વસવાટ કરી શકવાની ઐતિહાસિક શક્યતાઓ શોધી કાઢી છે.
ભારતના પ્રથમ મૂન મિશન ચંદ્રયાન-૧ના ડેટા અને ઇમેજ પરથી થઇ રહેલા અઘ્યયન અને સંશોધનો કરતાં ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વિજ્ઞાનીઓની એક ટીમે ચંદ્ર પર ‘હ્યુમન સેટલમેન્ટ’ થઇ શકે તેવી ‘લાવા ટ્યૂબ’ શોધી કાઢી છે. આ વૈજ્ઞાનિકોનું માનવું છે કે કુદરતી રીતે બનેલી આ લાવાની ટયૂબ ચંદ્ર પર માનવીય વસવાટ માટે ‘છત’નું કામ કરી શકે છે.
જો કે હાલ આ સમગ્ર પ્રોજેક્ટ પ્રયોગના સ્તરે હાથ ધરાયો છે. પરંતુ તેના નિષ્કર્ષ સમગ્ર માનવજગત માટે અવિસ્મરણીય દેન સાબિત થઇ શકે છે. આ અગત્યની ખોજ સાથે જોડાયેલા સેકના વૈજ્ઞાનિક એ.એસ. આર્યાએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે,‘ચંદ્રયાન-૧ના ટરાઇન મેપિંગ કેમેરા (ટીએમસી) દ્વારા લેવામાં આવેલી ઉચ્ચ ગુણવત્તાવાળી થ્રી ડાઇમેન્શનલ તસવીરો પરથી આ સંશોધન શક્ય બન્યું છે.
આ તસવીરમાં એક સર્પાકાર ખુલ્લી ટનલ સ્પષ્ટ રીતે જોવા મળે છે. જો કે આ લાંબી અને ખુલ્લી ટનલની વચ્ચેનો લગભગ ૨.૫ કિમીનો એક ભાગ ઢંકાયેલો છે. જે કુદરતી વિસ્ફોટો દરમિયાન ભેગા થયેલા લાવાના લીધે ઢંકાઇ ગયો હોવાનું જણાય છે. ઉપરથી બંધ થઇ ગયેલો આ ભાગ નીચેથી ટનલ અથવા તો ટયૂબ જેવો છે, જે ચંદ્ર પર વસવાટ કરવા માટેનું એક ‘સુરક્ષિત વાતાવરણ’ પૂરું પાડે છે. કોઇ પણ પ્રકારના વિસ્ફોટો કે...
|
|
More on Entertainment:
આકાશમાં ઊડો, સરોવરમાં તરો
DVSUR25490 | 9/7/2010 12:00:00 AM | Author : Bhaskar News, Surat
વિડિયો પાઈરસી રોકવા માટે રાજ્ય માટે એન્ટી-પાઈરસી સ્ક્વોડ
DVMUM9786 | 9/5/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai
ગોધરાકાંડના કેસનું ભારણ હોવાથી સીટ તપાસ નહીં કરે
DVAHM68312 | 9/4/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad
સ્વર્ણિમ નવરાત્રી માટે પાંચ કરોડનો ખર્ચ થશે
DVAHM68314 | 9/4/2010 12:00:00 AM | Author : Gautam Purohit, Gandhinagar




